ભારત અને અમેરિકા વચ્ચે થયેલા તાજેતરના વેપાર કરાર (Trade Deal) ને ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે આ કરારને બંને દેશોના મજબૂત થતા સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ પગલું ગણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ભવ્ય સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.


વેપારમાં સારા સમાચાર અને ટેરિફમાં ઘટાડો

મુખ્યમંત્રીએ આ કરારના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ ડીલથી ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનો પરના ટેરિફ (વેરા) માં મોટો ઘટાડો થશે. ટેરિફ ઘટવાને કારણે ભારતીય ઉત્પાદનો અમેરિકાના બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે, જેનો સીધો ફાયદો ભારતના નિકાસકારો અને ખાસ કરીને ગુજરાતના ઉદ્યોગ જગતને થશે.

વિશ્વના બે મોટા લોકશાહી દેશોનો સંગમ

CM ભૂપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, "ભારત અને અમેરિકા, જે વિશ્વના સૌથી મોટા બે લોકશાહી દેશો છે, તેઓ હવે આર્થિક પ્રગતિ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. આ કરારથી બંને દેશોના વેપારી સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે.

આ પણ વાંચો: Ahmedabad: AMCની ઘોર બેદરકારીએ બે ગાયોનો જીવ લીધો, સૈજપુરમાં ખુલ્લા ખાડામાં 5 ગાયો ખાબકી

  • Follow us on: