ગાંધીનગરના સરગાસણમાં શ્રીપદ આયંશ ફ્લેટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે.ફ્લેટના 13મા માળે આગ લાગવાનો બનાવ સામે આવતા અફરાતફરી મચી જવા પામી છે. આગની ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયરની ટીમ રવાના થઈ હતી.
શ્રીપદ આયંશ ફ્લેટમાં આગ લાગવાનો બનાવ
ગાંધીનગરના સરગાસણ ખાતે શ્રીપદ આયંશ ફ્લેટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ફ્લેટના 13મા માળે એક મકાનમાં રસોડામાં ગેસ પર તેલ મુક્યું હતું. તેલ બરાબર ઉકળ્યું હતું અને ગેસ બંધ કરવાનું રહી જતાં તેલ વધારે પ્રમાણમાં ઉકળ્યું હતું. જેના કારણે આગ લાગી હતી. આગ લાગતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ રવાના થઈ હતી.
