રાજ્યભરના સસ્તા અનાજના દુકાનદારો દ્વારા કમિશન વધારવા સહિતની વિવિધ માંગણીઓ સાથે પુરવઠા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. દુકાનદારોની મુખ્ય માંગ છે કે હાલ મહત્તમ રૂ. 20 હજારનું કમિશન વધારી રૂ. 30 હજાર કરવામાં આવે.
એસોસિએશનની પુરવઠા મંત્રી સાથે બેઠક યોજાઈ
આ મુદ્દે સસ્તા અનાજના દુકાનદારોના એસોસિએશનની પુરવઠા મંત્રી સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન અનાજ વિતરણ માટે મળતું કમિશન હાલના રૂ. 1.5 રુપિયાથી વધારી રૂ. 3 કરવા માંગ ઉઠાવવામાં આવી.













