ગુજરાત રાજ્યના આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેટ ECCE (Early Childhood Care and Education) કાઉન્સિલની તાજેતરમાં મળેલી બેઠકમાં પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમ આધારશિલાને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.
નવો અભ્યાસક્રમ જૂન 2026 ના શૈક્ષણિક વર્ષથી થશે લાગુ
આ નવો અભ્યાસક્રમ જૂન 2026 ના શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ આંગણવાડીઓમાં લાગુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને માત્ર પુસ્તકીયું જ્ઞાન આપવાને બદલે તેમના માનસિક અને શારીરિક વિકાસ પર ભાર મૂકવાનો છે. આ અંતર્ગત બાળકોને દરરોજ 4 કલાક રમત-ગમત સાથે ગમ્મતભર્યું શિક્ષણ આપવામાં આવશે.
