પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં ભાજપના શાનદાર પ્રદર્શનની ઉજવણી કરવા માટે પ્રદેશ ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે ઉત્સવનો માહોલ હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં નેતાઓ મીડિયાને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ઉત્સાહમાં આવીને એક મોટો 'ભાંગરો' વાટ્યો હતો.
ટાગોર કે બંકિમચંદ્ર? મંત્રી ગોથે ચડ્યા
બંગાળની જીતનો શ્રેય આપતા અને બંગાળના મહાપુરુષોને યાદ કરતા જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું કે, "બંગાળના મહાન સપૂત રવિન્દ્રનાથ ટાગોરે વર્ષો પહેલા વંદે માતરમની રચના કરી હતી." જોકે, સત્ય એ છે કે ભારતનું રાષ્ટ્રીય ગાન 'વંદે માતરમ્'ની રચના પ્રસિદ્ધ કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે કરી હતી, જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે રાષ્ટ્રગીત 'જન ગણ મન'ની રચના કરી હતી.
