ગુજરાતના સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા તમામ જિલ્લાના અધિકારીઓને MP, MLA અને મંત્રીઓના પ્રોટોકોલ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.


મંત્રીઓના જિલ્લા પ્રવાસ દરમિયાન તેમનું ગરિમાપૂર્ણ સ્વાગત કરવામાં આવે

પરિપત્ર મુજબ, મંત્રીઓના જિલ્લા પ્રવાસ દરમિયાન તેમનું ગરિમાપૂર્ણ સ્વાગત કરવામાં આવે તે માટે દરેક કામગીરી સુસંગઠિત રીતે કરવી જરૂરી છે. જિલ્લા પ્રભારીઓને કાર્યક્રમના સંકલન માટે ખાસ જવાબદારી આપવામાં આવી છે.

 જનપ્રતિનિધિઓને રાહ જોવડાવ્યા વગર મુલાકાત આપો

જાહેર પરિપત્રમાં આ બાબતોને ખાસ ઉલ્લેખ આપવામાં આવ્યો છે જેમાં જનપ્રતિનિધિઓને રાહ જોવડાવ્યા વગર મુલાકાત આપવી તથા દરેક કાર્યક્રમમાં વિવેકપૂર્ણ અને વ્યવહારુ રીત અપનાવવી અને જિલ્લા સ્તરે નેતાઓના પ્રોટોકોલનું યોગ્ય રીતે પાલન થાય તે સુનિશ્ચિત કરવું મહત્વની બાબત છે.

GADનો પરિપત્ર

GADના આ પરિપત્રથી આશય છે કે મંત્રીઓ અને જનપ્રતિનિધિઓના કાર્યક્રમો સુવ્યવસ્થિત, પારદર્શક અને ગરિમાપૂર્ણ રૂપે ચલાવવામાં આવે.


આ પણ વાંચો----    Ahmedabad : સાધુ રામકૃષ્ણદાસની હરકત બાદ અન્ય સંતોએ માર માર્યો હોવાની ચર્ચા, ભગવા કપડાં ઉતારાયા

  • Follow us on: