ગ્રિન વૉલ ઑફ અરવલ્લી' ગિરીમાળા એ ગુજરાતથી દિલ્હી સુધી વિસ્તરેલી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ યોજના હેઠળ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૨.૩૦ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે,જેનો જીવંત દર ખૂબ જ સારો છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું.
562 વૃક્ષો ધરાવતા સ્મૃતિ વન તૈયાર કરવામાં આવી રહ્યા છે
રાજ્ય મંત્રી માળીએ કહ્યું હતું કે, રાજ્યમાં વૃક્ષોના જલ્દી ઉછેર માટે વન વિભાગ દ્વારા ૬ થી ૧૦ ફૂટના રોપા તૈયાર કરીને વિતરણ કરવામાં આવશે જેથી વૃક્ષ પ્રેમીઓએ ખાનગી નર્સરીમાંથી રોપા લેવાની જરૂરિયાત રહેશે નહીં. વન વિભાગ દ્વારા આ વૃક્ષની ૧૦ વર્ષ સુધી જાળવણી કરવામાં આવશે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ૫૬૨ રજવાડાઓને એકત્રિત કરવાનું કામ કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતીના ભાગરૂપે વન વિભાગ દ્વારા દરેક વિધાનસભામાં વિસ્તારમાં તેમની સ્મૃતિમાં રાજ્યમાં ૫૬૨ વૃક્ષો ધરાવતા સ્મૃતિ વન તૈયાર કરવામાં આવી રહ્યા છે.













