ગાંધીનગર જિલ્લામાં આવેલા કલોલ તાલુકા હોમગાર્ડઝ યુનિટ દ્વારા 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ બે મહત્વપૂર્ણ પ્રસંગોની ઉજવણી અને સ્મૃતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોમગાર્ડઝ સ્થાપના દિવસ અને ડૉ. આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.


હોમગાર્ડઝ સ્થાપના દિનની ઉજવણી

દર વર્ષની જેમ આ વર્ષે પણ 6ઠ્ઠી ડિસેમ્બર, હોમગાર્ડઝ સ્થાપના દિન નિમિત્તે કલોલ યુનિટ દ્વારા ગૌરવપૂર્ણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કલોલ યુનિટ કચેરીથી આ રેલીની શરૂઆત કરવામાં આવી હતી, જે કલોલના જુદા જુદા મુખ્ય વિસ્તારોમાં ફરીને યુનિટ કચેરી પરત ફરી હતી. આ રેલીમાં હોમગાર્ડઝના સભ્યોએ શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો.

ડૉ. આંબેડકરને પુષ્પાંજલિ

ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કલોલ ખાતે આંબેડકર ત્રણ રસ્તા પાસે આવેલી ડૉ. આંબેડકરની પ્રતિમાને યુનિટના તમામ સભ્યોએ ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં કલોલ યુનિટના અગ્રણી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં હોમગાર્ડઝ સભ્યો હાજર રહ્યા હતા. હોમગાર્ડઝના જવાનોએ શિસ્ત અને સમર્પણની ભાવના સાથે બંને મહત્વપૂર્ણ દિવસોની ઉજવણી કરી હતી.


આ પણ વાંચો - Kutch News: કચ્છ પોલીસનો સપાટો, રાપરમાં દારૂની હેરાફેરી ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્ચો


  • Follow us on: