રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી કામગીરીને વધુ વેગવંતી અને અસરકારક બનાવવા માટે શનિવારે મોડી સાંજે મહત્વપૂર્ણ આદેશો જાહેર કર્યા છે. સચિવાલય, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા સત્તાવાર આદેશ મુજબ, રાજ્યભરમાં ફરજ બજાવતા 37 મામલતદારોની બદલી કરવામાં આવી છે, જ્યારે 165 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી (Promotion) આપી નવી જવાબદારી સોંપવામાં આવી છે.
37 મામલતદારોની બદલી
વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ જિલ્લાઓના મામલતદારોને અન્ય તાલુકા કે જિલ્લાઓમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં આપત્તિ વ્યવસ્થાપન, ચૂંટણી શાખા અને અર્બન ડેવલપમેન્ટ જેવી મહત્વની કચેરીઓમાં નવી નિમણૂકો કરવામાં આવી છે.










