ગાંધીનગરમાં તંત્રની બેદરકારી અને જર્જરિત પાઈપલાઈનને કારણે લાખો લિટર પાણીનો વેડફાટ થવાની ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા સેક્ટર 5 અને 13 ની ચોકડી પાસે પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ સર્જાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
જર્જરિત પાઈપલાઈનને કારણે પાણીનો વેડફાટ
સેક્ટર 5-13 ચોકડી પાસે લાઈન ફાટવાને કારણે પાણીનું પ્રેશર એટલું વધુ હતું કે જોતજોતામાં આખું જંક્શન પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પાણીના ભરાવાને કારણે રસ્તા વચ્ચેના ડિવાઈડર પણ દેખાતા બંધ થઈ ગયા હતા, જેને પગલે વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
