ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામમાં દીપડાના હુમલાની એક ભયાનક ઘટના સામે આવી છે. વન્ય પ્રાણીઓના રહેણાંક વિસ્તારોમાં વધતા જતા પ્રવેશને કારણે સ્થાનિક ખેડૂતોમાં સતત ભયનો માહોલ રહે છે, ત્યારે આજે ખેતરમાં કામ કરી રહેલા ખેતરમાં કામ કરી રહેલા એક નિર્દોષ ખેડૂત પર દીપડાએ હિંસક હુમલો કર્યો હતો.
પીઠના ભાગે વાગતા લોહી લુહાણ બન્યા
મળતી માહિતી અનુસાર સૈયદ રાજપરા ગામના એક ખેડૂત પોતાની વાડીએ કામ કરી રહ્યા હતા, ત્યારે ઓચિંતા ત્રાટકેલા દીપડાએ તેમના પર હુમલો કરી દીધો હતો. દીપડાએ ખેડૂતને દબોચી લેતા તેમને હાથ, ખભા અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ખેડૂતે બચાવ માટે બૂમરાણ મચાવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેને પગલે દીપડો ખેડૂતને લોહીલુહાણ હાલતમાં છોડીને ઝાડીઓમાં ગાયબ થઈ ગયો હતો.













