આજે મહાશિવરાત્રીના પવિત્ર પર્વે ગીર સોમનાથમાં આવેલું વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ભક્તિના રંગે રંગાયું છે. વહેલી સવારથી જ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ 'હર હર મહાદેવ' અને 'જય સોમનાથ'ના ગગનભેદી નાદ સાથે સમગ્ર પંથક ગુંજી ઉઠ્યો છે.


ભક્તોનું ઘોડાપૂર અને વિશેષ વ્યવસ્થા

ઐતિહાસિક સોમનાથ મંદિરે દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ વર્ષે મહાશિવરાત્રીના પર્વ પર અંદાજે 5 લાખથી વધુ યાત્રિકો સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા આવે તેવી સંભાવના સેવાઈ રહી છે. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

લોખંડી પોલીસ બંદોબસ્ત

યાત્રિકોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે ગીર સોમનાથ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિર પરિસર, દરિયાકિનારો અને પાર્કિંગ વિસ્તારોમાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

આ પણ વાંચો: Vav -Tharad: ઢીમાના ઐતિહાસિક ધરણીધર મંદિરમાં પૂજાના હક્ક મુદ્દે વિવાદ, પોલીસ બંદોબસ્ત વચ્ચે આરતી કરાઈ

  • Follow us on: