પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ-2026’ ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ પર્વના ભાગરૂપે આગામી 11મી જાન્યુઆરીના રોજ એક ઐતિહાસિક શોર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સોમનાથના રક્ષણ કાજે બલિદાન આપનારા વીરોની સ્મૃતિને તાજી કરશે.
108 અશ્વોનું દબદબાભર્યું રિહર્સલ
આ શોર્ય યાત્રાનું મુખ્ય આકર્ષણ ગુજરાત પોલીસ અશ્વદળના 108 તાલીમબદ્ધ અશ્વો રહેશે. 15 જેટલા જિલ્લાઓમાંથી આવેલા આ અશ્વો અને અસવારોએ આજે સોમનાથના માર્ગો પર ભવ્ય રિહર્સલ કર્યું હતું. અશ્વસવારોના 'હર હર મહાદેવ' ના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય અને જોમવંતું બની ગયું હતું. આ યાત્રા શંખ સર્કલથી શરૂ થઈ હમીરજી ગોહિલ સર્કલ સુધી યોજાશે.













