ગોંડલમાં ચર્ચાસ્પદ રાજકુમાર જાટના મોત કેસમાં તેના પરિવારે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની માગ કરી હતી. આ મુદ્દે જિલ્લા પોલીસ વડાએ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવા માટે કોર્ટમાં મંજૂરી માગી હતી. આ માટે ગણેશે પણ પોતાનો નાર્કો ટેસ્ટ કરવા મંજૂરી આપી હતી. હવે કોર્ટે આ મંજૂરીને ગ્રાહ્ય રાખતા ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.
ગોંડલના ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે
ગોંડલના ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. રાજકુમારના પરિવારે નાર્કો ટેસ્ટની માગ કરી હતી. સુરેન્દ્રનગર એસપીએ નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં મંજૂરી માગી હતી. ગણેશ જાડેજાએ પણ પોતાના નાર્કો ટેસ્ટ માટે મંજૂરી આપી છે. સમગ્ર કેસની તપાસ સુરેન્દ્રનગર એસપી કરી રહ્યાં છે. પોલીસે ગણેશ સહિત 10થી વધુ લોકોના નિવેદન નોંધ્યા છે. હત્યાના કેસમાં કાળા કલરની ગાડીને લઇ અનેક સવાલો ઉઠ્યા હતા.
