જામનગર શહેરના દિગજામ સર્કલ નજીક આવેલા હનુમાન ટેકરી સહિતના વિસ્તારોમાં અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. રેલવે તંત્ર દ્વારા આ વિસ્તારના રહેણાંક મકાનો ખાલી કરવા માટે માત્ર 7 દિવસની નોટિસ ફટકારવામાં આવતા સ્થાનિક પરિવારોમાં ભારે રોષ અને ભયનો માહોલ ફાટી નીકળ્યો છે.
વર્ષો જૂના મકાનો પર બુલડોઝર ફરી વળવાની ચિંતા
રેલવે દ્વારા જગ્યા ખાલી કરવાના આદેશ બાદ સ્થાનિકોને પોતાના વર્ષો જૂના મકાનો પર બુલડોઝર ફરી વળવાની ચિંતા સતાવી રહી છે. નોટિસ મળતા જ મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ એકત્રિત થયા હતા અને તંત્રની આ કામગીરીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. લોકોનું કહેવું છે કે આટલા ટૂંકા ગાળામાં તેઓ ક્યાં જાય?










