પરંતુ હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ છ દિવસ જેટલો સમય વીતી ગયા હોવા છતાં વીજ પુરવઠો બંધ છે. જામનગરના ધ્રોલ ગ્રામ્ય પીજીવીસીએલના બાણુંગાર ડિવિઝન હેઠળ આવતા 10 જેટલા ગામોમાં ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
વિસ્તારમાં લાઈટ ન હોવાથી પીવાના પાણી માટે પણ હાલાકી પડી રહી છે
હજુ પણ વીજ પુરવઠો ચાલુ ન થતા ખેડૂતો વાવેલ પાકમાં પિયત કરી શકતા ન હોવાથી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ આજે ખેડૂતો પીજીવીસીએલ કચેરી ખાતે વીજ પર પુરવઠો ક્યારે ચાલુ થશે. તે અંગે ટેલીફોનિક વાત કરે તો કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવતો ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. પીજીવીસીએલ ની ઢીલી કામગીરીને લઈને ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોને વાળી વિસ્તારમાં લાઈટ ન હોવાથી પીવાના પાણી માટે પણ હાલાકી પડી રહી છે.
