જામનગરમાં ધુતારપરમાં પિતા-પુત્રીએ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, તો પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ પુત્રી સાથે કૂદીને કૂવામાં આપગાત કર્યો છે, પતિ પત્નીના ચરિત્ર અંગે શંકા કરી ઝઘડા કરતો હતો અને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, સમગ્ર ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે.


પતિ-પત્નીના ઝઘડામાં પતિ કૂવામાં કૂદી ગયો

જામનગરના ધુતારપરમાં પતિએ પુત્રી સાથે કૂદીને કૂવામાં આપઘાત કર્યો છે, ઘટનાની જાણ થતા પોલીસના ટોળેટોળા ઉમટયા હતા અને પતિ પત્નીના ચરિત્ર અંગે શંકા કરી ઝઘડા કરતો હતો જેને લઈ પતિએ જાતે જ કૂવામાં કૂદીને આપઘાત કરતા બન્નેના મોત થયા છે, પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પતિએ દીકરી તેની પત્ની સાથેથી છીનવી લીધી અને આપઘાત કરી લીઘો હતો.

પાણીમાં ડૂબી જતા દીકરી અને પિતાનું મોત

ગ્રામજનો દ્વારા કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે અને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પત્નીની પૂછપરછ પણ પોલીસે શરૂ કરી છે, અને ગ્રામજનો અને પરિજનોનું કહેવું છે કે, પતિ અને પત્ની વચ્ચે લાંબા સમયથી ઝઘડા ચાલી રહ્યા હતા જેને લઈ પતિએ આ પગલું ભર્યુ છે.


આ પણ વાંચો : Gandhinagar News : દિવ્યાંગ લગ્ન સહાય યોજનાની સહાયની રકમ રૂ.50 હજારથી વધારીને રૂ.75 હજાર કરાઈ : સામાજિક ન્યાય અને અધિકારિતા રાજયમંત્રી


  • Follow us on: