જામનગર શહેરમાં આજે વહેલી સવારથી જ પ્રશાસન હરકતમાં આવ્યું છે. રેલવે વિભાગ દ્વારા સલામતી અને ટ્રેનોની ગતિને ધ્યાનમાં રાખીને દિગ્જામ સર્કલ નજીક આવેલા સિદ્ધાર્થનગર વિસ્તારમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. રેલવે ટ્રેકની આસપાસ વર્ષોથી જામી ગયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે તંત્રએ કમર કસી છે.
જામનગર શહેરમાં મેગા ડિમોલિશન
રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, તાજેતરમાં રેલવે ટ્રેકના ડબલિંગની કામગીરી પૂર્ણ થયા બાદ આ રૂટ પર ટ્રેનોની સ્પીડમાં વધારો થયો છે. ટ્રેક પાસે રહેતા સ્થાનિકો અને મુસાફરોની સુરક્ષા સૌથી મોટો પડકાર બની હતી. કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી ટ્રેકથી અંદાજે 20 ફૂટ સુધીના તમામ કાચા-પાકા દબાણો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.










