જામનગર શહેરની શાન ગણાતા રણમલ તળાવમાં એક અત્યંત કરુણ દુર્ઘટના સામે આવી છે. તળાવના પાછળના ભાગમાં બે કિશોરોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફરી વળી છે અને મૃતક કિશોરોના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે.


રણમલ તળાવમાં ડૂબી જવાથી બે કિશોરોના મોત

મળતી માહિતી મુજબ, આ બંને કિશોરો ગઈકાલ સાંજથી પોતાના ઘરેથી ગુમ થયા હતા. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો મળ્યો ન હતો. આજે સવારે રણમલ તળાવના પાછળના ભાગે પાણીમાં મૃતદેહો હોવાની જાણ થતા તંત્ર દોડતું થયું હતું.

ફાયર બ્રિગેડની કામગીરી અને તપાસ

ઘટનાની જાણ થતા જ જામનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ બંને કિશોરોના મૃતદેહને પાણીની બહાર કાઢ્યા હતા. પોલીસે બંને મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે.

આ પણ વાંચો:  Surat: સચિન સેઝમાં DRI ના દરોડામાં કરોડોની જ્વેલરી સીઝ, એક્સપોર્ટ થતા 16 પાર્સલ અટકાવ્યા

  • Follow us on: