જૂનાગઢના કેશોદ નજીક હાઈવે પર આજે વહેલી સવારે એક ભીષણ અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ડિવાઈડરમાં આવેલા વૃક્ષોને પાણી પાઈ રહેલા ટેન્કરની પાછળ એક કાર જોરદાર રીતે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારમાં સવાર કોડિનારના વડનગરના એક યુવાનનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
કેશોદ નજીક ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત
ધાર્મિક વિધિ કરી પરત ફરતા સર્જાયો કાળ પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક યુવાન અને તેમનો પરિવાર સોમનાથ ખાતે ધાર્મિક વિધિ પતાવીને સોમનાથથી જેતપુર તરફ પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન કેશોદ હાઈવે પર રોડની વચ્ચે આવેલા ડિવાઈડરમાં પાણીનો છંટકાવ કરી રહેલા ટેન્કર સાથે તેમની કાર અથડાઈ હતી. અચાનક બનેલી આ ઘટનામાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.










