જૂનાગઢ શહેરના જોષીપરા વિસ્તારમાં તસ્કરોએ પોલીસને પડકાર ફેંકતી વધુ એક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. એક પરિવાર ધાર્મિક પ્રસંગ નિમિત્તે ઘરની બહાર ગયો હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ માત્ર ત્રણ જ કલાકના ટૂંકા ગાળામાં ઘરના તાળા તોડી કુલ 5.80 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા છે.
જૂનાગઢના જોષીપરામાં લાખોની ચોરી
મળતી માહિતી મુજબ, જોષીપરા વિસ્તારમાં રહેતો એક પરિવાર જ્યારે ઘરે હાજર ન હતો અને કોઈ ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે બહાર ગયો હતો, ત્યારે તસ્કરોએ આ તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો. તસ્કરોએ અંદાજે 3 કલાકના સમયગાળામાં જ આખા ઘરની તપાસ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ 5.80 લાખની માલમત્તા ચોરી લીધી હતી.
