કમોસમી વરસાદે રવિ અને ખરીફ પાકનો સોથ વાળી દીધો છે, ત્યાં બીજી તરફ હવામાન વિભાગની નવી આગાહીએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં નબળા ચોમાસાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જો મેઘરાજા મહેરબાન નહીં થાય, તો ધરતીપુત્રોને ખેતી છોડી મજૂરી કરવાના દિવસો આવશે તેવી ભીતિ સેવાઈ રહી છે.


માત્ર 92% વરસાદની શક્યતા

હવામાન વિભાગના તાજેતરના અનુમાન મુજબ, આ વર્ષે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતા ઓછો, એટલે કે માત્ર 92% વરસાદ પડવાની શક્યતા છે. જુનાગઢના ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જો ચોમાસું નબળું જશે તો મગફળી, કપાસ અને સોયાબીન જેવા મુખ્ય પાકો નિષ્ફળ જશે, જેના કારણે આર્થિક પાયમાલી સર્જાશે.

નિષ્ણાંતોની સલાહ અને સરકાર પાસે માંગ

ભારતીય કિસાન સંઘના અગ્રણીઓએ જણાવ્યું છે કે, આવી કટોકટીમાં સરકારે ખેડૂતોને પાણીની અછત વચ્ચે યોગ્ય માર્ગદર્શન અને મદદ પૂરી પાડવી જોઈએ. બીજી તરફ, કૃષિ નિષ્ણાંતોએ સલાહ આપી છે કે જો વરસાદ ખેંચાય તો ખેડૂતોએ કપાસ કે મગફળી જેવા લાંબા ગાળાના પાકને બદલે ટૂંકા ગાળાના કઠોળના પાક તરફ વળવું જોઈએ. જો સરકાર વહેલી તકે કોઈ નક્કર રાહત પેકેજ જાહેર નહીં કરે, તો ખેડૂત દેવાના ડુંગર નીચે દબાઈને ખેતી છોડવા મજબૂર બનશે.


આ પણ વાંચો----    Local Body Elections 2026 : ચૂંટણી જંગમાં AI ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સોશિયલ મીડિયા વોર-રૂમ હવે થયા હાઈટેક, જાણો ડિજિટલ માયાજાળ

  • Follow us on: