ગરવા ગિરનારની તળેટીમાં વસેલા જૂનાગઢ શહેરમાં ગૌવંશની હત્યાની એક આઘાતજનક ઘટના સામે આવી છે. ખડીયા વિસ્તાર નજીક બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે, જૂનાગઢ તાલુકા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આ ગુનામાં સંડોવાયેલા ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે.


જૂનાગઢમાં ગૌવંશની હત્યા મામલે ત્રણ આરોપીઓની ધરપકડ

મળતી માહિતી મુજબ, જૂનાગઢના ખડીયા નજીક કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગૌવંશ (ગાય) ની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા જ ધાર્મિક સંગઠનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસે ત્રણ આરોપીઓને દબોચ્યા

જૂનાગઢ તાલુકા પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ કુકર્મમાં સામેલ ત્રણ શખ્સોને શોધી કાઢ્યા છે.  અયાન મકરાણી, હનીફ પીરૂ, મકસુદ મકરાણીપોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:બુલેટ ટ્રેન બ્રિજ નીચે ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, કાર સહિત 5.67 લાખનો મુદ્દામાલ જપ્ત

  • Follow us on: