ગિરનારની તળેટીમાં આવેલા અને અત્યંત ધાર્મિક મહત્વ ધરાવતા પવિત્ર દામોદર કુંડને આગામી બે દિવસ માટે મુલાકાતીઓ અને શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કુંડની સ્વચ્છતા જાળવવા અને ઊંડાણપૂર્વક સફાઈ કરવાના હેતુથી તંત્ર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.
ચૈત્ર માસે ભીડમાં વધારો
હાલમાં ચૈત્ર માસ ચાલી રહ્યો હોવાથી દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ અને અસ્થિ વિસર્જન સહિતની વિધિઓ માટે ભાવિકોની ભારે ભીડ ઉમટી રહી છે. સતત વપરાશ અને ભીડને કારણે કુંડના પાણી અને પરિસરની સફાઈ કરવી અનિવાર્ય બની હતી. જેને ધ્યાને રાખીને તારીખ 21 એપ્રિલ અને 22 એપ્રિલના રોજ શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ બંધ રાખવામાં આવશે.










