ખેરાલુ તાલુકાના ખેડૂતોએ પાક નુકસાનના વળતરમાં થયેલા અન્યાય સામે રણશિંગુ ફૂંક્યું છે. તાલુકાના વઘવાડી અને સાગથળા ગામના મોટી સંખ્યામાં ખેડૂતો આજે મહેસાણા જિલ્લા કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને વળતર વધારવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી.
ખેડૂતોને પાક નુકસાનના વળતરમાં અન્યાય
જિલ્લા મથકે પહોંચેલા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોએ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં "જય જવાન-જય કિસાન" અને "ખેડૂતોને પૂરતું વળતર આપો" જેવા ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે ચાલુ વર્ષે થયેલા પાક નુકસાન સામે સરકાર દ્વારા જે વળતર ચૂકવવામાં આવ્યું છે તે અત્યંત ઓછું અને મજાક સમાન છે.










