કચ્છ જિલ્લાના દદ્ધર-સાધારા રોડ પર તાજેતરમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે વહીવટી તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે. આ અકસ્માતમાં ત્રણ નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા. સમગ્ર મામલે હવે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે કાર ખાડામાં ખાબકી
મળતી માહિતી મુજબ, દદ્ધર-સાધારા રોડ પર નવીનીકરણ અથવા અન્ય કામગીરી માટે રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં કોઈ પણ પ્રકારના સાઈન બોર્ડ, આડશ કે ચેતવણી સૂચક લાઈટો મૂકવામાં આવી નહોતી. જેના કારણે અંધારામાં કાર સહિતના વાહનો સીધા ખાડામાં ખાબક્યા હતા. આ ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
