મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં કમળાના કેસોમાં થઈ રહેલા ચિંતાજનક વધારાને પગલે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. બાલાસિનોરમાં કમળાના આંકડો 378 પર પહોંચતા જિલ્લા કલેક્ટરે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે બાલાસિનોર રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લીધી હતી.


બાલાસિનોર શહેરમાં કમળાના કેસોમાં વધારો 

કલેક્ટરે હોસ્પિટલના કમળા વોર્ડમાં જઈને સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે દર્દીઓને મળી રહેલી આરોગ્યલક્ષી સુવિધાઓ અને દવાની ઉપલબ્ધતા અંગે વિગતવાર માહિતી મેળવી હતી. હોસ્પિટલના અધિકારીઓને સારવારમાં કોઈ પણ પ્રકારની કચાસ ન રાખવા કડક સૂચના આપવામાં આવી છે.

કમળાના કેસો વધવાનું કારણ દુષિત પાણી 

પ્રાથમિક તપાસમાં કમળાના કેસો વધવાનું મુખ્ય કારણ દુષિત પાણી હોવાનું બહાર આવ્યું છે. આ બાબતે કલેક્ટરે પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર સાથે ગહન ચર્ચા કરી હતી. શહેરમાં પાણીના વિતરણની વ્યવસ્થા અને પાઈપલાઈનમાં થતા લીકેજ અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.


આ પણ વાંચો:ધાનેરામાં LCBએ 8.47 લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલી કાર ઝડપી

  • Follow us on: