મહેસાણા સ્થિત પ્રતિષ્ઠિત દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ (સમરસ) કરવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા જોરશોરથી મથામણ ચાલી રહી છે. આ અંગે મહેસાણાના કમલમ કાર્યાલય ખાતે જિલ્લાના ધારાસભ્યો અને સાંસદોની એક મહત્વની બેઠક મળી હતી.


દૂધ સાગર ડેરીની ચૂંટણી સમરસ કરવા મથામણ

આ બેઠકમાં ગુજકોમાસોલના વાઇસ ચેરમેન બિપિન ગોતા તેમજ બેઠકના અંતે ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર, લાંબી ચર્ચા-વિચારણા બાદ આ બેઠકમાં ડેરીની ચૂંટણીને બિનહરીફ કરવા માટે સમાધાન થઈ ગયું હોવાની પ્રબળ ચર્ચા ચાલી રહી છે. જો આ સમાધાન સફળ થાય તો આજે, ફોર્મ ભરવાના છેલ્લા દિવસે, માત્ર ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારો જ પોતાના ફોર્મ ભરી શકે છે.

ધારાસભ્યો અને સાંસદોની કમલમમાં મળી બેઠક

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ચૂંટણી સમરસ થતાં વર્તમાન ચેરમેન અશોક ચૌધરી ફરી એકવાર ડેરીના ચેરમેન બની શકે છે. ભાજપના નેતાઓ ડેરીના વહીવટમાં સર્વસંમતિ અને સ્થિરતા જાળવવાના ઉદ્દેશથી આ ચૂંટણીને સમરસ કરવા પ્રયત્નશીલ છે. આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસ બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે કે ડેરીની ચૂંટણી ખરેખર સમરસ થશે કે હરીફાઈ થશે.


આ પણ વાંચો: ચાંદખેડામાં ત્રીજા માળેથી નીચે પડતા મહિલાનું મોત, CCTV ફૂટેજ આવ્યા સામે


  • Follow us on: