મોરબી શહેરમાં પંચાસર રોડ પર મોડી સાંજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં કારની ટક્કર વાગવાથી બાઇકચાલક આધેડનું કરુણ મોત નીપજ્યું છે. મોરબીના પંચાસર રોડ પર આ અકસ્માતની ઘટના બની હતી.
કારની અડફેટે બાઈક ચાલકનું મોત
મોડી સાંજે શિવાભાઈ કાનાણી નામનો આધેડ પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા. આ સમયે પાછળથી પૂરઝડપે આવતી એક કારે તેમના બાઇકને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કરને કારણે બાઇકચાલક શિવાભાઈ કાનાણી નીચે પટકાયા હતા. તેમને માથામાં અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.










