મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. હર્ષદ ચૌહાણ નામના યુવાને પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ ફિનાઇલ ઘટઘટાવી લેતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી.
પોલીસ સ્ટેશનના પટાંગણમાં આપઘાતનો પ્રયાસ
મળતી માહિતી મુજબ, હર્ષદ ચૌહાણ નામનો યુવાન મનીષા અને સૂરિયો નામના બુટલેગરો દ્વારા આપવામાં આવતા ત્રાસથી પરેશાન હતો. આ મામલે તે વારંવાર પોલીસ પાસે રજૂઆત કરવા ગયો હતો, પરંતુ તેની ફરિયાદ સાંભળવામાં આવતી નહોતી.યુવાનનો ગંભીર આક્ષેપ છે કે પોલીસ બુટલેગરો સામે ફરિયાદ નોંધવાને બદલે ઉલટાની તેને જ હેરાન કરતી હતી.
