ગુજરાતના આદિવાસી પટ્ટાના રાજકારણમાં આજે એક મોટો વળાંક આવ્યો છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP) ના સ્થાપક અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ આજે વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. આ બાબતે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપતા ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કર્યા છે.
BTP ને ખતમ કરનાર ચૈતર વસાવા સામે નારાજગી
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, મહેશ વસાવાની અસલી લડાઈ ભાજપ સામે નથી, પરંતુ તેમની નારાજગી ચૈતર વસાવા સામે છે. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટીમાં રહીને BTP ને પાયામાંથી ખતમ કરી નાખી છે. મહેશ વસાવાના પરિવારના ઘણા સભ્યો અત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે, જેને કારણે આંતરિક વિખવાદ વધ્યો છે. BTP માં ભંગાણ પાડીને ચૈતર વસાવાએ જે રીતે રાજનીતિ કરી છે તેનાથી મહેશ વસાવા નારાજ હતા.










