કોઈપણ સામાજિક સંગઠન માટે 100 વર્ષષ સુધી સક્રિય રહીને સમાજ ઉત્થાનનું કાર્ય કરવું એ એક વિરલ સિદ્ધિ છે. નર્મદા નદીના કાંઠે વસેલા રાજપૂત સમાજનું પ્રતિષ્ઠિત સંગઠન "રેવાકાંઠા રાજપૂત પરિષદ" આજે તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ કરી ઇતિહાસ રચી રહ્યું છે. 25 ડિસેમ્બર, 1925 ના રોજ સ્થપાયેલું આ સંગઠન પંચમહાલ, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, ભરૂચ અને સુરત જેવા જિલ્લાઓના રાજપૂત પરિવારોને એક તાંતણે બાંધે છે.
ભવ્ય ઇતિહાસ અને સેવાકીય પ્રદાન
આ પરિષદની શરૂઆત રજવાડાઓના સમયમાં રાજા-મહારાજાઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તત્કાલીન મુંબઇ રાજ્યથી લઇને આજના આધુનિક ગુજરાત સુધી, આ સંગઠને શિક્ષણ, સામાજિક સુધારા અને આર્થિક વિકાસના ક્ષેત્રે પાયાનું કામ કર્યુ છે. કુરિવાજો નાબૂદ કરવા અને તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આ સંસ્થા અગ્રેસર રગી છે. હાલમાં જ આ સંગઠન મુખ્ય પરિષદ ઉપરાંત મહિલા પાંખ અને યુવા પાંખ એમ ત્રણ સ્તરે કાર્યરત રહ્યા છે.
