નવસારીના ઉનાઈમાં રામભક્તો રામ માટે ધરણાં પર બેઠા હતાં. વાંસદાના યાત્રાધામ ઉનાઈ મંદિરમાં રામભક્તોએ ધરણાં કર્યા હતાં. બે વર્ષ અગાઉ મુખ્યમંત્રી દ્વારા મંદિરના જિર્ણોદ્ધાર માટે ખાત મૂહૂર્ત કર્યું હતું તેમ છતાં તેનું કામ ટલ્લે ચડ્યું છે. કામમાં વિલંબ થતાં જ રામભક્તો મંદિર પરિસરમાં ભેગા થયા હતાં અને રામધૂન બોલાવીને ધરણાં પ્રદર્શન કર્યું હતું. ભાગવાન રામ સાથે સીધો સંબંધ ધરાવતા સ્થાનમાં ભગવાન રામની ઉપેક્ષા થતાં જ ભક્તોની લાગણી દુભાઈ હતી. આ બાબતે હવે સાંસદ ધવલ પટેલ મેદાનમાં ઉતર્યા છે અને મંદિરના જિર્ણોધ્ધાર માટે તેમણે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે.
સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રી ને પત્ર લખી કરી હતી રજૂઆત
ઉનાઈ રામ મંદિર જીર્ણોધ્ધાર માટે સાંસદ ધવલ પટેલે આઠમી જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી હતી. સાંસદની રજૂઆત બાદ મંદિરના જિર્ણોદ્ધારની કામગીરી આગળ વધી છે. પૌરાણિક મંદિરના જિર્ણોદ્ધાર માટે માપણી થઈ ગઈ હોવાનો સુત્રોએ દાવો કર્યો છે. આ માટે બજેટ પણ વધારવામાં આવશે તેવો દાવો કરાયો છે. જર્જરિત થયેલા રામ મંદિરને ભવ્ય મંદિર બનાવવાનુ આયોજન કરાશે.












