પાલિતાણાનો શેત્રુંજય ડુંગર અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અહીં માતાજીના મંદિર પાસે એક સિંહે ધામા નાખ્યા હોવાની તસવીર સામે આવી છે. આ તસવીર ખુદ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

મંત્રીએ શેર કરી તસવીર

વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ મનોરમ્ય દ્રશ્યનો ફોટો શેર કરતા લખ્યું છે કે, શેત્રુંજય ડુંગર પર જાણે સાવજ માતાજીની સેવામાં હાજર થયો હોય તેમ મંદિરના દ્વાર પાસે આરામ ફરમાવી રહ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વન્યજીવ પ્રેમીઓમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.

https://x.com/arjunmodhwadia/status/2034479217891856479?s=20

વારંવાર જોવા મળે છે સિંહ

ઉલ્લેખનીય છે કે, શેત્રુંજય ડુંગર અને તેની આસપાસના વિસ્તારોમાં અવારનવાર સિંહોનું વિચરણ જોવા મળે છે. ગીરના જંગલોમાંથી નીકળીને સિંહો હવે ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો અને ડુંગરાળ પ્રદેશોમાં પોતાનું નવું રહેઠાણ બનાવી રહ્યા છે. માતાજીના મંદિર પાસે સિંહની આ પ્રકારે શાંત હાજરી ભક્તો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

આ પણ વાંચો: Surat: વડોદ વિસ્તારમાં ગેસ સિલિન્ડરની કાળાબજારી પર પુરવઠા વિભાગના દરોડા, 241 સિલિન્ડર જપ્ત