સુરત શહેરમાં ગેસ સિલિન્ડરની ગેરકાયદે કાળાબજારી કરતાં તત્વો સામે પુરવઠા વિભાગે આકરી કાર્યવાહી શરૂ કરી છે. સુરતના વડોદ વિસ્તારમાં આવેલી અગ્રવાલ એજન્સી પર પુરવઠા વિભાગે ઓચિંતા દરોડા પાડીને મોટા પાયે ચાલતા કાળાબજારના કૌભાંડને ઝડપી પાડ્યું છે.

ગેસ સિલિન્ડરની ગેરકાયદે કાળાબજારી

પુરવઠા વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે વડોદ વિસ્તારમાં આવેલી અગ્રવાલ એજન્સી પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એજન્સીના પરિસરમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા કુલ 241 ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. આ સિલિન્ડરોનો ઉપયોગ કાળાબજારમાં અને ગેરકાયદે રીફિલિંગ માટે કરવામાં આવતો હોવાની આશંકા સેવાઈ રહી છે.

એજન્સીના સંચાલકો સામે કાર્યવાહી 

પુરવઠા વિભાગે તમામ 241 સિલિન્ડર જપ્ત કરી લીધા છે અને એજન્સીના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગેસ સિલિન્ડરના સપ્લાય અને સ્ટોકમાં જોવા મળેલી ગેરરીતિ બદલ એજન્સીનું લાયસન્સ રદ કરવા સુધીની તજવીજ હાથ ધરવામાં આવી શકે છે. સુરત શહેરમાં અન્ય સ્થળોએ પણ આવા કાળાબજાર થતા હોવાની શક્યતાને પગલે આગામી દિવસોમાં વધુ દરોડા પાડવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Dhoraji: કમોસમી વરસાદ અને ભારે પવનથી પાટણવાવ માર્ગ પર વૃક્ષો જમીનદોસ્ત, સેવાભાવીઓએ ટ્રાફિક હળવો કરાવ્યો