પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે આ વર્ષે પણ ભક્તિમય માહોલમાં હોળીકા દહન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભાવિકો હોળીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.


સંપૂર્ણ વિધિ વિધાન સાથે હોળીકા દહન

આ વર્ષે 3 માર્ચે ચંદ્રગ્રહણ હોવાથી યાત્રાધામ પાવાગઢ ખાતે 2 માર્ચે હોળી પ્રગટાવામાં આવી હતી. પાવાગઢ ડુંગર પર સંપૂર્ણ વિધિ વિધાન સાથે હોળીકા દહન કરવામાં આવ્યું.

હોળીના દર્શન કરી પરિક્રમા કરી ધન્યતા અનુભવી

સાંજના સમયે ભક્તો અને યાત્રાળુઓએ પૂજા અને અર્ચના કરી હતી અને હોળીના દર્શન કરી પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી

માતાજીના દર્શન કરવા શ્રદ્ધાળુઓ પહોંચ્યા

શક્તિપીઠ પાવાગઢ પર ભક્તિનો મહત્વપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. શ્રી મહાકાળી માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા

આસપાસના ગામોમાં પણ હોળી પ્રગટાવાઇ

આ ઉપરાંત, પાવાગઢ ખાતે હોળીકા દહન થયા બાદ નજીકના ગામોમાં હોલી પ્રગટાવવાનો પરંપરાગત રિવાજ છે. જેથી પાવાગઢમાં હોળી પ્રગટ્યા બાદ આસપાસના ગામોમાં પણ ઉત્સાહપૂર્વક હોળી પ્રગટાવાઇ હતી.


આ પણ વાંચો----    Gandhinagar : પ્રદેશ ભાજપે મોરચા પ્રભારીઓના નામની કરી જાહેરાત, ઘણા જૂના નેતાઓને પ્રભારી બનાવવામાં આવ્યા


  • Follow us on: