રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી 25થી વધુ સોસાયટીના રહેવાસીઓ દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં શહેરના વિવિધ વિસ્તારમાં અમલમાં રહેલી અશાંતધારાની સમયમર્યાદામાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે.


કેટલીક સોસાયટીમાં ધાર્મિક માહોલ બગડવાની શક્યતા

સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે કેટલીક સોસાયટીમાં ધાર્મિક માહોલ બગડવાની શક્યતા ઊભી થઈ રહી છે. ઘણા રહેવાસીઓ છેલ્લા 25 વર્ષથી સોસાયટીમાં વસવાટ કરી રહ્યા હોવાનું જણાવ્યું છે.

 વિધર્મીઓ દ્વારા પ્રોપર્ટી ખરીદવામાં આવી રહી છે

તેમનો આક્ષેપ છે કે તાજેતરમાં વિવિધ સોસાયટીમાં વિધર્મીઓ દ્વારા પ્રોપર્ટી ખરીદવામાં આવી રહી છે, જેના કારણે ધાર્મિક રીતરિવાજો અને ખાણીપીણીની ભિન્નતાને લઈ ઘર્ષણ થવાનો ભય સતાવી રહ્યો છે.

અશાંતધારાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવે

રહેવાસીઓએ કલેક્ટરને વિનંતી કરી છે કે શાંતિ અને સુમેળ જળવાઈ રહે તે હેતુસર અશાંતધારાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવે. 


આ પણ વાંચો----    Aravallis Hills: હવે કોઈ નવા ખાણકામની મંજૂરી નહીં, સંરક્ષિત ક્ષેત્રનો પણ વિસ્તાર કરાશે, વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય

  • Follow us on: