રાજ્ય સરકાર દ્વારા કુપોષિત બાળકોને પોષણયુક્ત કરવા માટે લાખોના ખર્ચે યોજનાઓ ચલાવવામાં આવે છે, પરંતુ રાજકોટ શહેરમાં આ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. રાજકોટની આંગણવાડીઓમાં બાળકોને આપવામાં આવતા ભોજન અને નાસ્તામાં મોટાપાયે ગેરરીતિ અને અનિયમિતતા સામે આવી છે.


બાળકોના ભોજન અને નાસ્તામાં ગેરરીતિ 

રાજકોટ શહેરમાં કુલ 365 આંગણવાડીઓ આવેલી છે, જેમાં અંદાજે 19,000 થી વધુ બાળકો નોંધાયેલા છે. નિયમ મુજબ આ બાળકોને પૌષ્ટિક નાસ્તો અને ભોજન આપવાનું હોય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આંગણવાડીમાં મેનુ કરતા સાવ વિરુદ્ધ અને અપૂરતું ભોજન પહોંચાડવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, છેલ્લા ત્રણ વર્ષથી આંગણવાડીઓમાં પૌષ્ટિક ગણાતી 'સુખડી'નું વિતરણ જ કરવામાં આવ્યું નથી.

ભોજનના ધાંધિયા

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, મેનુમાં દર્શાવેલ માત્રામાં નાસ્તો કે ભોજન ક્યારેય આંગણવાડી સુધી પહોંચતું જ નથી. હાલમાં જ બુધવાર અને ગુરુવારના રોજ બાળકો માટેનો નાસ્તો અને ભોજન આવ્યું જ ન હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ પરિસ્થિતિને કારણે ગરીબ અને શ્રમિક પરિવારના બાળકો, જેઓ પોષણની આશાએ આંગણવાડીએ આવે છે, તેઓ ભૂખ્યા રહેવા અથવા અપૂરતું ભોજન લેવા મજબૂર બન્યા છે.

આ પણ વાંચો: Surat:ઉધના સ્ટેશન પર ગતરોજની ભીડ બાદ આજે સ્થિતિ સામાન્ય,વ્યવસ્થાઓના અભાવે યુપી-બિહાર તરફ દોટ

  • Follow us on: