ગુજરાતમાં હવામાનના મિજાજમાં સતત પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે તાજું વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. આ બુલેટિન મુજબ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


આ જિલ્લાઓમાં વરસાદની અસર

હવામાન વિભાગની આગાહી મુજબ, ખાસ કરીને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. પવનની ગતિ 40 કિમી/કલાક સુધી રહેવાની શક્યતા છે, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે.

ગાજવીજ સાથે પવન ફૂંકાશે

બુલેટિનમાં જણાવ્યા અનુસાર, વરસાદની સાથે ગાજવીજ પણ થઈ શકે છે. જોકે, રાહતની વાત એ છે કે, વીજળી પડવાની શક્યતા ઘણી ઓછી છે. તેમ છતાં, 40 કિમીની ઝડપે ફૂંકાનારા પવનને જોતા નીચાણવાળા વિસ્તારો અને ખુલ્લામાં કામ કરતા લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. કમોસમી વરસાદના આ માહોલને કારણે ખેતીના પાક પર પણ અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.


આ પણ વાંચો - Gujarat Latest News Live : તાલાલા પંથકમાં ભારે પવન સાથે માવઠું, તૈયાર કેસર કેરી ખરી પડતા ખેડૂતો બેહાલ


  • Follow us on: