રાજકોટના ટ્રાફિક મેનેજમેન્ટ અને જાહેર પરિવહન સેવાને લઈને સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. રાજકોટ શહેરમાં વસ્તી અને વાહનોના વ્યાપને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા હવે 'નવા 150 ફૂટ રિંગ રોડ' પર પણ સ્માર્ટ બીઆરટીએસ (BRTS) કોરિડોર બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 220 કરોડની માતબર રકમ ફાળવવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે.

9 કિલોમીટરનો નવો ડેડિકેટેડ રૂટ

મળતી વિગતો અનુસાર, આ નવો બીઆરટીએસ કોરિડોર જામનગર રોડથી શરૂ થઈને પાળ રોડ સુધીનો રહેશે. આશરે 9 કિલોમીટર લાંબા આ રૂટ પર બીઆરટીએસ બસો માટે સ્પેશિયલ (ડેડિકેટેડ) લેન તૈયાર કરવામાં આવશે. આગામી દિવસોમાં આ રૂટ પર કલરફુલ અને આધુનિક બીઆરટીએસ બસો દોડતી કરવામાં આવશે, જેનાથી મુસાફરો ખૂબ જ ઓછા સમયમાં લાંબુ અંતર કાપી શકશે.

લાખો લોકોને થશે સીધો ફાયદો

હાલમાં રાજકોટનો નવો 150 ફૂટ રિંગ રોડ વિસ્તાર ખૂબ જ ઝડપથી રેસિડેન્શિયલ અને કોમર્શિયલ હબ તરીકે વિકસી રહ્યો છે. આ વિસ્તારમાં રહેતા લાખો લોકોને, નોકરિયાતો અને વિદ્યાર્થીઓને આ નવી પરિવહન સેવાનો સીધો ફાયદો મળશે. કનેક્ટિવિટી વધવાની સાથે આસપાસના મુખ્ય ચાર રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ પણ ઘટશે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા ટૂંક સમયમાં આ પ્રોજેક્ટના ટેન્ડિંગ અને સિવિલ વર્કની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: Surat: ટેક્સટાઈલ માર્કેટમાં પાર્સલ દીઠ 15નો તોતિંગ ભાવ વધારો ઝીંકાયો, મોંઘું ઈંધણ અને મજૂરી ખર્ચ જવાબદાર