ભારતીય રેલવે હવે માત્ર મુસાફરો કે માલસામાનના ભાડા પર જ નહીં, પણ 'સ્ક્રેપ મેનેજમેન્ટ' દ્વારા પણ મોટી આવક કરી રહી છે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને શૂન્ય ભંગાર (Zero Scrap) મિશન અંતર્ગત રેલવેના નકામા સામાનને વેચીને ₹33.11 કરોડની માતબર રકમ મેળવી છે.
રાજકોટ રેલવેની મોટી કમાણી
રાજકોટ ડિવિઝન દ્વારા રેલવેના વિવિધ સેક્શનમાં પડેલા જૂના અને બિનઉપયોગી લોખંડના પાટા, સ્લીપર, જૂની બેટરીઓ, કાટ લાગેલો ભંગાર અને અન્ય કચરાનો હરાજી (E-Auction) દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયાથી માત્ર આવક જ નથી થઈ, પરંતુ રેલવે પરિસરની સાફ-સફાઈ પણ થઈ છે અને જગ્યા પણ ખાલી થઈ છે.
