એપ્રિલ મહિનો ફરી ગરમ મહિનો બન્યો હોય તેમ એક દિવસની રાહત પછી ફરી સુર્યનારાયણ કાળઝાળ બન્યા છે.ગઈકાલે જુનાગઢ અને રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રીને આંબી જતા શહેરીજનો ગરમીથી ત્રસ્ત બન્યા હતા.બપોરે ગરમાગરમ લુથી જનજીવન પ્રભાવીત થયું છે.ગઈકાલે સવારે રાજકોટ, વેરાવળ, પોરબંદર, દીવ, કંડલા સહિતના શહેરોમાં ભેજનું પ્રમાણ વધતા આ વિસ્તારમાં ઠંડકનો અહેસાસ થયો હતો.જો કે, બપોરે તાપમાનનો પારો સડસડાટ ઉંચકાયો હતો. આકરા તાપ અને લૂ ને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. શહેરમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે.
શહેરીજનો આકરા તાપમાં શેકાયા
જુનાગઢમાં તાપમાન 42, સુરેન્દ્રનગરમાં 41,અમરેલીમાં 40.3,ભુજમાં 39.7,કેશોદમાં 38,કંડલા એરપોર્ટમાં 37.5,ભાવનગરમાં 37,નલીયામાં 35.2, પોરબંદરમાં 34.3, ઓખામાં 33.4, મહુવામાં 33.2, દીવમાં 32.7, વેરાવળમાં 32, દ્વારકામાં 31.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં સતત પાંચમાં દિવસે ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. 9 કલાકમાં શહેરમાં તાપમાન 19.7 ડિગ્રી વધ્યું હતું. શહેરમાં લઘુતમ તાપમાન 22.1ડિગ્રી નોંધાયું હતું.સવારે પ્રતિ કલાક 8 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયા બાદ બપોરે પવનની ગતિ ઘટીને 6 કિલોમીટર થઈ જતા શહેરીજનો આકરા તાપમાં શેકાયા હતાં. શહેરમાં આજે લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી છે. આકરા તાપ અને લૂ ને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તા સૂમસામ જોવા મળ્યા છે.
