ઘેડ પંથકના ખેડૂતો માટે ખેતીના મોરચે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ તંત્ર દ્વારા આવતીકાલથી ભાદર-2 ડેમમાંથી રવિ સિંચાઈ માટે પાણી છોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમના 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને અંદાજે 1,620 ક્યુસેક પાણી છોડવામાં આવશે. આ નિર્ણયથી ઘેડ પંથકના હજારો ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે, કારણ કે પાણી મળવાથી રવિ સીઝનના મુખ્ય પાકો જેવા કે ચણા, ઘઉં, જીરું અને લસણને મોટો ફાયદો થશે અને ઉત્પાદન વધવાની આશા જાગી છે.


રવિ સિંચાઈનો પ્રારંભ

સિંચાઈ માટે પાણી છોડવામાં આવનાર હોવાથી વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં પણ લેવામાં આવ્યા છે. ભાદર નદીના હેઠવાસમાં આવતા ગામોના લોકોને અને માલધારીઓને નદીના પટમાં ન જવા અથવા પશુઓને ન લઈ જવા કડક સૂચના આપવામાં આવી છે. પાણીના પ્રવાહને જોતા કોઈ જાનહાનિ કે દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર સતર્ક છે. સિંચાઈના આ પાણીથી રવિ પાકના વાવેતરને નવું જીવન મળશે, જે આ વિસ્તારની કૃષિ અર્થવ્યવસ્થા માટે અત્યંત મહત્વનું સાબિત થશે.

આ પણ વાંચો : Surat ઓવરબ્રિજ દુર્ઘટનાના CCTV વાયરલ, હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા ત્રણ લોકો...

  • Follow us on: