રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ટીપી રોડ અને આજી નદીના પટમાં સોમવારે 87000 ચોરસ મીટરની સરકારી જમીન ખાલી કરાવવા શરૂ કરાયેલું સૌરાષ્ટ્ર-રાજકોટનું સૌથી મોટું ઓપરેશન ડિમોલીશન બીજા દિવસે મંગળવારે સાંજે શાંતિપૂર્વક સમાપ્ત થયું હતું. સવારથી સાંજ સુધી ૮૩ જેસીબી સહિતના ૨૬૦ વાહનોની મદદથી બાકી રહેલા ૩૯૦ મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા.

કુલ મળીને 1504 મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા

એ સાથે સલામતીના ભાગરૂપે ડિમોલિશન વિસ્તારની શેરીઓ પાસે પીળા પટ્ટા અને પતરાની આડશો મૂકવામાં આવી હતી અને જાહેર સલામતીના કારણોથી આ વિસ્તારમાં અનધિકૃત લોકો માટે નો-એન્ટ્રી જાહેર કરવામાં આવી હતી. મનપાના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, ગઈ કાલે સોમવારે નદીના પટમાં કાચા છાપરાવાળા મકાનોને પ્રાથમિકતા આપીને એને દુર કર્યા, સાથે ટીપી રોડ પરના દબાણો દૂર કરવાનું ચાલુ કરી દીધેલું. ગઈકાલે ૧૫૦૯માંથી ૧૧૧૯ મકાનોનું ડિમોલીશન કરવામાં આવ્યું હતું.

આજે પણ કામગીરી કરાશે બાકી રહેલા ઘરોની

એ પછી એવા મકાનો બાકી રાખવામાં આવ્યા હતા, જે પાકા સ્લેબવાળા, ગ્રાઉન્ડ પ્લસ વન અને ગ્રાઉન્ડ પ્લસ ટુ અને ગ્રાઉન્ડ પ્લસ ફોર સુધીના મકાનો જંગલેશ્વર વિસ્તારમાં મળ્યા, એ બધાના ડિમોલીશન મંગળવારે બીજા દિવસે હાથ ધરવામાં આવ્યા હતા. ડિમોલીશનની સંપૂર્ણ કામગીરી સાંજે સુધીમાં સમાપ્ત કરવામાં આવી હતી. બાકી રહેલા પાંચ બાંધકામોને આજે હટાવવામાં આવશે. ગઈ કાલથી ૪૨ ટીમો કામગીરી કરી રહી હતી. એમાંથી ૩૫ ટીમોએ મંગળવારે સાંજે ૫ વાગ્યા સુધીમાં કામ પૂરું કરી નાખ્યું હતું. છેલ્લે ૭ ટીમો ૪૯ મકાનોની કામગીરીમાં જોડાઈ હતી. એની મદદમાં ફ્રી થયેલી ટીમોના સભ્યોને સામેલ કરવામાં આવ્યા હતા.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદનો ક્રાઈમ ટ્રેન્ડ બદલાયો, ડિજિટલ ગુનેગારો સૌથી મોટો ખતરો અને હત્યાના કેસ 110 થી 90 સુધી ઘટયા