વગર ટિકિટ અને અનિયમિત મુસાફરી કરતા મુસાફરો વિરુદ્ધ હાથ ધરાયેલી સઘન કાર્યવાહીથી ડિવિઝને રૂ.૧૦.૯૫ કરોડની આવક મેળવી છે. ગત વર્ષમાં મળેલી ३.6.50 કરોડની સરખામણીએ આ આવકમાં ૬૮.૨૩ ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે.

અનધિકૃત રીતે મુસાફરી કરતા મુસાફરો પણ ઝડપાયા

રાજકોટ રેલવે ડિવિઝનના સુત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે ટિકિટ વગર મુસાફરી કરતા કુલ ૧,૫૦,૬૮૧ કેસ નોંધાયા, જે ગત વર્ષના ૯૫,૦૧૧ કેસની તુલનામાં ૫૮.૫૯ ટકા વધુ છે. વિગતવાર આંકડાઓ મુજબ, વગર ટિકિટ મુસાફરીના ૭૩,૬૧૮ કેસોમાંથી રૂ.૬.૮૫ કરોડની વસુલાત કરવામાં આવી હતી. જયારે ઊંચી શ્રેણીમાં અનધિકૃત રીતે મુસાફરી કરતા ૭૧,૪૨૭ મુસાફરો પાસેથી રૂ.૪.૦૬૬ કરોડ વસુલાયા હતા.

મુસાફરોને નિયમિત રીતે ટિકિટ ખરીદી મુસાફરી કરવાની અપીલ

ઉપરાંત, ઓવર ટ્રાવેલિંગના ૮૩૩ કેસમાંથી રૂ.૨.૫૧ લાખ અને બુક ન કરાવેલા સામાનના ૨૧૨ કેસમાંથી રૂ.૨૦,૧૨૦ની આવક પ્રાપ્ત થઈ છે. ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ આ સિદ્ધિ બદલ સમગ્ર કોમર્શિયલ સ્ટાફ અને ટિકિટ ચેકિંગ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમણે મુસાફરોને નિયમિત રીતે ટિકિટ ખરીદી મુસાફરી કરવાની અપીલ પણ કરી છે.


આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢ જેલમાં કાચા કામના કેદી પાસેથી મળ્યો મોબાઈલ ફોન, જેલની ઝડતી સ્ક્વોડ દ્વારા કરાઈ હતી તપાસ