રાજકોટમાં હાઇવે પર ખાનગી બસ પર પથ્થરમારો થતા બસના કાચ તૂટયા છે, મુસાફરોને કોઈ જાનહાની થઈ નથી, સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે, રામવનથી અમદાવાદ તરફ બસ આવી રહી હતી તે દરમિયાન આ ઘટના બની છે, સમગ્ર ઘટનાને લઈ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
4 થી 5 ખાનગી બસ પર પથ્થરમારો કરતા કાચ તૂટ્યા
રાજકોટમાં 4 થી 5 ખાનગી બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે જેમાં પથ્થરમારામાં બસના કાચ તૂટયા છે. રામવનથી અમદાવાદ જવાના હાઇવે પર આ ઘટના બની ઠે. ખાનગી બસ સંચાલકોએ પોલીસને જાણ કરી છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવા સંચાલકોની માગ છે, તો અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.













