સૌરાષ્ટ્રની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા રજીસ્ટ્રાર તરીકે ડો. અજયસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે. યુનિવર્સિટીના વહીવટી પ્રશ્નો અને શૈક્ષણિક કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા રજીસ્ટ્રાર

ડો. અજયસિંહ જાડેજા શિક્ષણ જગત અને વહીવટી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. આ નિમણૂક પૂર્વે તેઓ અમદાવાદ સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) માં રજીસ્ટ્રાર તરીકે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. ત્યાં તેમની કામગીરી અત્યંત સફળતાપૂર્વક રહી હોવાથી, હવે તેમની કુશળતાનો લાભ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળશે.

યુનિવર્સિટીના વહીવટમાં આવશે તેજી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી રજીસ્ટ્રારની જગ્યા અને વહીવટી નિર્ણયોને લઈને અનેક ચર્ચાઓ થતી રહી છે. ત્યારે ડો. જાડેજા જેવા અનુભવી વ્યક્તિના આવવાથી યુનિવર્સિટીના અટકેલા વહીવટી કાર્યો, પરીક્ષા લક્ષી નિર્ણયો અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવશે તેવી આશા સેવાઈ રહી છે.

આ પણ વાંચો: પાવાગઢ પ્રવાસમાં કાળમુખી દુર્ઘટના, નર્મદા કેનાલમાં ડૂબેલા બે શિક્ષકો પૈકી એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ જારી