રાજકોટ શહેરમાં ધૂળેટીના પવિત્ર પર્વ પર માનવતાને શરમાવે તેવી એક ઘટના બની હતી. મોબાઈલ ફોન પરત ન આપવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક નેપાળી યુવકની પથ્થરના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે રાજકોટ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યારા આરોપીને ઝડપી લીધો છે.
ધૂળેટીના દિવસે થયેલી નિર્મમ હત્યાનો ભેદ ઉકેલાયો
મૂળ જામનગરના કાલાવડનો રહેવાસી અક્ષયરાજ જાડેજા અને નેપાળી યુવક રાકેશ વિશ્વકર્મા વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, રાકેશ પાસે અક્ષયરાજનો મોબાઈલ ફોન હતો. અક્ષયરાજે પોતાનો મોબાઈલ પરત માંગ્યો હતો, પરંતુ રાકેશે તે આપવાનો ઇનકાર કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.










