સુરત શહેરનો પૂર્વ વિસ્તાર એટલે કે સરથાણા અને કામરેજ વચ્ચેનો પટ્ટો અત્યારે ટ્રાફિકની સૌથી મોટી સમસ્યાનું કેન્દ્ર બન્યો છે. અહીં સમસ્યા વાહનોની સંખ્યા કરતા લક્ઝરી બસોના અયોગ્ય પાર્કિંગ અને સંચાલનની વધુ છે.
સુરતમાં ટ્રાફિકજામ સમસ્યાથી લોકો પરેશાન
સુરતથી સૌરાષ્ટ્ર કે અન્ય પ્રદેશોમાં જતી લક્ઝરી બસો સાંજના સમયે એકસાથે સરથાણા જકાતનાકાથી રવાના થાય છે. મુસાફરોને લેવા માટે બસો રસ્તાની વચ્ચે ઉભી રહેતી હોવાથી પાછળ આવતા વાહનોની લાંબી કતારો લાગે છે. સરથાણાથી કામરેજ પહોંચતા જ્યાં માત્ર 10 મિનિટ લાગવી જોઈએ, ત્યાં અત્યારે મુસાફરોને 45 મિનિટથી 1 કલાકનો સમય વેડફવો પડે છે.










