સુરતના ઉધના વિસ્તારમાં જાણે માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. હોળી-ધુળેટીના તહેવારમાં શ્રમજીવીઓ અને મધ્યમ વર્ગના લોકો પોતાના પરિવાર સાથે તહેવાર મનાવવા ઉત્સુક હોય છે, જેના પરિણામે ટ્રેનોમાં જબરદસ્ત વેઇટિંગ જોવા મળી રહ્યું છે.
હોળી-ધુળેટીના તહેવારમાં ટ્રેનોમાં વેઇટિંગ
રેલવે વિભાગે મુસાફરોની હાલાકી ઓછી કરવા માટે નિયમિત ટ્રેનો ઉપરાંત વિશેષ ટ્રેનો દોડાવવાનું શરૂ કર્યું છે. આ ટ્રેનો મુખ્યત્વે પટના, ગયા, વારાણસી અને ગોરખપુર જેવા રૂટ પર દોડાવવામાં આવી રહી છે. ટ્રેનમાં ચડવા માટે મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે.










